સુરત : આજે વધુ 239 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ તેમજ 3 દર્દીના મોત..

સુરતમાં આજે વધુ 239 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો. સુરતમાં 191 જયારે ગ્રામીણ વિસ્તારમાં 48 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 5719 પર પહોંચી છે, જયારે આજે 3 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 209 પર પહોંચ્યો છે, તેવામાં આજે 159 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 239 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 191 કેસ નોઁધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 5084 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 48 કેસ સાથે દર્દી સંખ્યા 635 પર પહોંચી છે.તેની સાથે કુલ દર્દી સંખ્યા 5719 પર પહોંચી ગઈ છે

આજે 3દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 209 થયો છે. જેમાંથી 19 મૃત્યુ જિલ્લાના છે અને 190 મોત શહેર વિસ્તારના છે.

આજે શહેરમાંથી 133 જ્યારે જિલ્લામાં આજે 26 દર્દીને રજા આપતા, કુલ 159 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3548 થઈ છે. જેમાંથી જિલ્લાના 333 દર્દીઓ પણ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યાં છે.

સુરતમાં આજે સેન્ટ્રલ ઝોન 19, વરાછા એ ઝોનમાં 41, વરાછા બી 24, રાંદેર ઝોન 19, કતારગામ ઝોનમાં 47, લીબાયત ઝોનમાં 13, ઉધના ઝોનમાં 11 અને અથવા ઝોનમાં 27 કેસ નોંધાયા.જોકે જિલ્લામાં ચોર્યાસી 10, ઓલપાડ 8, કામરેજ 17,પલસાણા 4. બારડોલી 1, માંડવી 2, અને મહુવા 2 અને માંગરોળ 4 કેસ નોંધાતા જિલ્લામાં પહેલી વખત આટલા મોટા પ્રમાણમાં પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને તેમાં પણ કામરેજમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *