સુરત : આજે વધુ 220 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ તેમજ 7 દર્દીનાં મોત..

સુરતમાં આજે વધુ 220 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો.સુરતમાં 180 જયારે ગ્રામીણ વિસ્તારમાં  40 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 5480 પર પહોંચી છે, જયારે આજે 7 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 201 પર પહોંચ્યો છે, તેવામાં આજે 144દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

સુરતમાં કોરોના પોઝિટિવના નવા 220 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 180  કેસ નોઁધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 4893 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 40  કેસ સાથે દર્દી સંખ્યા 587 પર પહોંચી છે.કુલ દર્દી સંખ્યા 5480 પર પહોંચી ગઈ છે.

આજે 7 દર્દીનાં કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 201 થયો છે. જેમાંથી 19 મૃત્યુ જિલ્લાના છે અને 182 મોત શહેર વિસ્તારના છે.

આજે શહેરમાંથી 124જ્યારે જિલ્લામાં આજે 20 દર્દીને રજા આપતા, કુલ 144 દર્દીઓ   કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3389 થઈ છે. જેમાંથી જિલ્લાના 307 દર્દીઓ પણ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યાં છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *