સુરત : આજે વધુ 182 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ,6 લોકોના મોત,68 દર્દીએ કોરોનાને માત આપી..

સુરતમાં આજે વધુ 182 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો.જયારે ગ્રામીણ વિસ્તારમાં 27 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 4078 પર પહોંચી છે, જયારે આજે 6 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 153 પર પહોંચ્યો છે, તેવામાં આજે 68 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 182 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 155 કેસ નોઁધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 3684  જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 27  કેસ સાથે દર્દી સંખ્યા 394 પર પહોંચી છે.કુલ દર્દી સંખ્યા 4078 પર પહોંચી ગઈ છે.

આજે6 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 153 થયો છે. જેમાંથી 7 મૃત્યુ જિલ્લાના છે અને 146 મોત શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 43  જ્યારે જિલ્લામાં આજે 5 દર્દીને રજા આપતા, કુલ 48 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે.

જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 2555થઈ છે.જેમાંથી જિલ્લાના 225 દર્દીઓ પણ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યાં છે.

આજે સેન્ટ્રલ ઝોન 9, વરાછા એ ઝોનમાં 17,વરાછા બી 19 ,રાંદેર ઝોન 11, કતારગામ ઝોનમાં 61, લીબાયત ઝોનમાં 25, ઉધના ઝોનમાં 10અને અથવા ઝોનમાં 3 કેસ નોંધાયા.જોકે જિલ્લામાં  ચોર્યાસી 5,ઓલપાડ 3, કામરેજ 8,પલસાણા3, ,બારડોલી 3 , માંડવી 2અને ઉમરપાડા 3   કેસ નોંધાતા કોરોના વાઇરસ આવ્યા બાદ, સુરત જિલ્લા સૌથી વધુ કેસ પહેલી વાર નોંધાયા છે જેમાં કામરેજ ખાતે 18 કેસ એક સાથે નોંધાતા  સુંર્ત જિલ્લા આરોગ્ય વિભાગ   પણ દોડતું થઇ ગયું છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *