સુરતમાં આજે વધુ 195 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો. સુરતમાં 174 જયારે ગ્રામીણ વિસ્તારમાં 21 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 4473 પર પહોંચી છે, જયારે આજે 5 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 166 પર પહોંચ્યો છે, તેવામાં આજે 85 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.
સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 195 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 174 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 4171 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 21 કેસ સાથે દર્દી સંખ્યા 476 પર પહોંચી છે.
કુલ દર્દી સંખ્યા 4473 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 5 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 166 થયો છે. જેમાંથી 11 મૃત્યુ જિલ્લાના છે અને 155 મોત શહેર વિસ્તારના છે.
આજે શહેરમાંથી 80 જ્યારે જિલ્લામાં આજે 5 દર્દીને રજા આપતા, કુલ 85 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 2820 થઈ છે. જેમાંથી જિલ્લાના 246 દર્દીઓ પણ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યાં છે.
આજે સેન્ટ્રલ ઝોન 17, વરાછા એ ઝોનમાં 21. વરાછા બી 23 રાંદેર ઝોન 26, કતારગામ ઝોનમાં 54, લીબાયત ઝોનમાં 17, ઉધના ઝોનમાં 7 અને અથવા ઝોનમાં 9 કેસ નોંધાયા.જોકે જિલ્લામાં ચોર્યાસી 4, ઓલપાડ 2, કામરેજ 10, પલસાણા 3, માંડવી 1 અને માંગરોળ 1 કેસ નોંધાતા આજે સુરતના કામરેજમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. કોરોના વાઇરસ આવ્યા બાદ, સુરત જિલ્લા સૌથી વધુ કેસ પહેલી વાર નોંધાયા છે. જેમાં કામરેજ ખાતે 18 કેસ એક સાથે નોંધાતા સુરત જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે.