રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 626 નવા કેસ નોંધાયા છે. તેમજ 19 દર્દીનાં મોત થયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાંથી 440 દર્દી કોરોનાને મ્હાત આપીને સાજા થઈને ઘરે પરત પણ ગયા છે.
રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 236 અને સુરતમાં 217 કેસ નોંધાયા છે. અત્યારસુધી અમદાવાદ શહેરમાં જ કોરોનાના 200 કરતાં વધુ કેસ નોંધાયા હતા પરંતુ આજે પહેલી વાર સુરત જિલ્લામાં કોરોના વાયરસના કુલ 217 પોઝિટિવ કેસ નોંધાતા ચિંતા વધી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 236, સુરતમાં 217, વડોદરામાં 50, પાટણમાં 20, રાજકોટમાં 11, આણંદમાં 11, મહેસાણામાં 10, અમરેલીમાં 10, સુરેન્દ્રનગરમાં 9, ભરૂચમાં 8, અન્ય રાજ્યના 8, ખેડાના 7, જામનગરમાં 6, અરવલ્લીમાં 6, ભાવનગરમાં 4, પંચમહાલમાં 3, ગીર સોમનાથમાં 3, રાજકોટ શહેરમાં 2, ગાંધીનગરમાં 2, કચ્છમાં 2, જૂનાગઢમાં 2, નવસારીમાં 2, દેવભૂમિ દ્વારકામાં 2, જૂનાગઢ શહેરમાં 2, ભાવનગરમાં 1, સાબરકાંઠામાં 1, બોટાદમાં 1, વલસાડમાં 1 એમ કુલ 626 કેસ નોંધાયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં કુલ 9, સુરત કોર્પોરેશનમાં 2, ગ્રામ્યમાં 2, સુરેન્દ્રનગરમાં 2, બનાસકાંઠામાં 1, રાજકોટમાં 1, ખેડામાં 1, અમરેલીમાં 1 કુલ 19 દર્દીઓનાં મોત નીપજ્યા છે. રાજ્યમાં હાલમાં કોરોનાના કુલ 6947 કેસ એક્ટિવ છે જે પૈકીના 63 વેન્ટિલેટર પર છે.
રાજ્યમાંથી અત્યારસુધીમાં 23247 દર્દીઓને કોરોના મ્હાત આપવા બદલ હૉસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે જ્યારે આજદિન સુધીમાં રાજ્યનાં 1828 દર્દીનાં મોત થયા છે.