રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 539 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 ના કારણે 20 દર્દીના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 306 કેસ નોંધાયા છે.
રાજ્યમાં અમદાવાદમાં 306, સુરતમાં 103, વડોદરામાં 43, ભરુચ 12, ભાવનગર 9, ગાંધીનગર અને નર્મદા 8-8, જામનગર 7, મહેસાણા, રાજકોટ, આણંદ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં 4-4, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ અને નવસારીમાં 3-3, મહીસાગર, ખેડા અને વલસાડમાં 2-2, પંચમહાલ, કચ્છ, બોટાદ, દેવભૂમિ દ્વારકા અને મોરબીમાં 1-1 કેસ નોંધાયા છે
રાજ્યમાં કોરોનાના કારણે 20 દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 16, સુરતમાં 4 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1639 થયો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 535 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાંથી અમદાવાદમાં 418, સુરતમાં 52, વડોદરામાં 20, પંચમહાલ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 5-5, બનાસકાંઠા, ગાંધીનગર અને ભાવનગરમાં 4-4, કચ્છ, સાબરકાંઠા અને અરવલ્લીમાં 3-3, અમરેલી, પાટણ અને જુનાગઢમાં 2-2, બોટાદ, દાહોદ અને ગીર સોમનાથમાં 1-1 દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે.રાજ્યમાં અત્યારે કુલ 6396 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 66 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 6330 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં 18702 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે