ગુજરાત : છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 498 નવા કેસ નોંધાયા તેમજ 29 દર્દીના મોત..

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 498 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 19,617 કેસ થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના કારણે 29 દર્દીના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 289 કેસ નોંધાયા છે.

રાજ્યમાં અમદાવાદમાં 289, સુરતમાં 92, વડોદરામાં 34, ગાંધીનગરમાં 20, રાજકોટમાં 8, વલસાડમાં 7, મહેસાણા અને પાટણમાં 6-6, સાબરકાંઠા-કચ્છમાં 5-5, બનાસકાંઠા-પંચમહાલમાં 4-4, ભરુચ-છોટા ઉદેપુરમાં 3-3, ભાવનગર, અરવલ્લી, આણંદ, ખેડા, ગીર સોમનાથ અને નવસારીમાં 2-2 કેસ નોંધાયા છે.

રાજ્યમાં 29 દર્દીના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદમાં 26, સુરતમાં 2 અને વડોદરામાં 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1219 થયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 313 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાંથી અમદાવાદમાં 210, સુરતમાં 35, વડોદરામાં 23, સાબરકાંઠામાં 10, ગાંધીનગર, મહીસાગરમાં 9-9, વલસાડમાં 4, બનાસકાંઠા, મહેસાણામાં 3-3, અમરેલીમાં 2, જ્યારે પાટણ, ભાવનગર, જામનગર, ખેડા અને કચ્છમાં એક-એક દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *