ગુજરાત : છેલ્લા 24 કલાકમાં કોરોનાના 495 નવા કેસ નોંધાયા તેમજ 31 દર્દીના મોત..

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 495 નવા કેસ નોંધાયા છે.આ સાથે જ રાજ્યમાં કુલ 22,562 કેસ થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 31 દર્દીના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 327 કેસ નોંધાયા છે.

રાજ્યમાં નવા નોંધાયેલા 495 કેસમાં અમદાવાદમાં 327, સુરતમાં 77, વડોદરામાં 37, મહેસાણામાં 7, ગાંધીનગરમાં 5, રાજકોટમાં 5, ભરૂચમાં 5, કચ્છમાં 4, બોટાદમાં 4, સુરેન્દ્રનગરમાં 4, નવસારીમાં 4, પંચમહાલમાં 3, ભાવનગર, સાબરકાંઠા, પાટણ, જામનગર, અમરેલીમાં 2-2 જ્યારે બનાસકાંઠા અને અરવલ્લીમાં 1-1 નવા કેસ નોંધાયા છે.

રાજ્યમાં 31 દર્દીના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદમાં 22, સુરતમાં 3, ગાંધીનગરમાં 2, અરવલ્લી, પાટણ અને ભરૂચમાં 1-1 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1416 થયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 392 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાંથી અમદાવાદમાં 243, સુરતમાં 54, ગાંધીનગરમાં 54, વડોદરામાં 32, બનાસકાંઠામાં 8, મહેસાણામાં 5, પંચમહાલમાં 3, આણંદ-ખેડામાં 2-2, જ્યારે અરવલ્લી, છોટા ઉદેપુર અને ભાવનગરમાં એક-એક દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યારે કુલ 5645 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 68 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 5577 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં 15501 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *