સુરતમાં જ્યારથી કોરોના નું સંક્રમણ વધ્યું છે ત્યારથી હોસ્પિટલોમાં બેડ મળતા નથી. તેવા સંજોગોમાં સામાજીક સંસ્થો અને રાજકીય પક્ષો પણ આગળ આવ્યા છે .વરાછા વિસ્તારના ચીકુવાડી વિસ્તરમાં સામાન્ય સંસ્થાઓ મળી સરદાર આઈશોલેશન સેન્ટરની શુભ શરૂઆત કરવામાં આવી…
સુરતની ઘણી બધી સામાજીક સંસ્થો દ્વારા આઇશોલેસન સેન્ટર ચાલુ કરવામાં આવ્યા છે. સુરતમાં વધતી જતા કોરોનાની મહામારીના સુવિધાના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં SMC, સામાજિક સંસ્થાઓ, વિસ્તારના કોર્પોરેટરો અને અન્ય લોકો સાથે મળીને ઓક્શીજન સાથેના બેડની તેમજ અમુક જગ્યાએ હોમ અઈસોલેશનની જગ્યાએ વિવિધ કોમ્યુનીટી હોલમાં સેન્ટરો શરુ કરવામાં આવ્યા છે.
આવા સંજોગોમાં વિવિધ સંસ્થાઓ સેવા નામની એક સંયુક્ત સંસ્થાના બેનર તેમજ પોતાના સામાજિક સંસ્થાના નામ હેઠળ મહાનગરપાલિકાના વિવિધ કોમ્યુનીટી હોલમાં આઇશોલેસન સેન્ટર શરુ થયા છે.
દરેક સંસ્થાના કાર્યકરો અને સંસ્થાના વિવિધ સ્વયંસેવકો અને વિવિધ દાતાઓના સાથ અને સહકારથી આ ભગીરથ કાર્ય ચાલુ થયેલ છે. આવા કપરા સંજોગોમાં જ્યાં પોતાના સ્વજનોને બેડની સુવિધા ના મળતી હોઈ, નાના ઘરમાં આઇસોલેશનની સુવિધા ના હોઈ અને આ સમયે આર્થિક રીતે પણ સક્ષમ ના હોઈ તેવા તમામ લોકો માટે આ સેન્ટરો આશીર્વાદ રૂપ સાબિત થયા છે.