નવસારીના આ કાળમુખા બ્રિજ પર મહારાષ્ટ્રની એસ.ટી બસે માતા-પુત્રીનો અડફેટે લીધા, માતાનું સારવાર દરમિયાન મોત…

નવસારીના ગુરુકુલ સુપા પાસેના પૂર્ણાં નદીના કાળમુખા બ્રિજ પર મહારાષ્ટ્રની બસ સાથે માતાપુત્રીનો ગમખ્વાર અકસ્માત સર્જાતાં સારવાર દરમિયાન માતાનું મોત નીપજ્યું છે. આ અકસ્માતથી 5 ફેબ્રુઆરી 2016માં નવસારીથી ઉકાઈ જઈ રહેલી બસના અકસ્માતની યાદ તાજી થઈ છે.

નવસારીના પેરા ગામમાં રહેતી મહિલા ધર્મિષ્ઠા પટેલ(ઉંમર 41) અને પુત્રી દ્રષ્ટિ (ઉંમર 21) માતા-પુત્રી અને પુત્ર સાથે રહે છે. આજે વહેલી સવારે અગ્રવાલ કોલેજમાં ભણતી પુત્રી દ્રષ્ટિને મુકવા માતા બાઇક પર ઓવરબ્રિજ પરથી પસાર થઇ રહ્યા હતા, તે વેળા નવસારી તરફથી આવતી વાપી ધૂળિયા બસ સાથે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં માતા ધર્મિષ્ઠા રોડ પર ફંગોળાઇ જતાં ગંભીર ઇજાઓ થઇ હતી જેમને તાત્કાલિક સારવાર અર્થે પારસી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન માતાનું મોત નીપજ્યું છે.

જ્યારે વાપી-ધુલિયા બસના ડ્રાઇવર કંડકટર પણ ગ્રામ્ય પોલીસ મથકે હાજર થયા હતા. અકસ્માતના સ્થળે સ્થાનિકોના જોવા કહેવા મુજબ, આ અકસ્માતમાં બસચાલકની ભૂલ હોઈ શકે તેવું તારણ બહાર આવ્યું છે. કારણ કે, બસ રોંગ સાઈડથી પોતાની સાઈડમાં આવી હોય તેવા ટાયરના નિશાન ઘટના સ્થળ પર જોવા મળ્યા હતા. જેને લઈ ગ્રામ્ય પોલીસે અકસ્માતને લઈને કાયદેસર કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *