સડક દુર્ઘટનામાં વાહનમાં બેઠેલા 16 મજૂરો દટાયા હતા.13 લોકોના મોત, અનેક ઘાયલ…..!

અવાર નવાર અકસ્માત ની ઘટનાઓ સામે આવતી રહે છે તેવામાં જ મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં સમૃદ્ધિ હાઇવે પ્રોજેક્ટ માટે મજૂરોને લઇ જતું વાહન પલટી જતાં ઓછામાં ઓછા 13 મજૂરોના મોત થયા છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સમૃદ્ધિ હાઇવે પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. સિંદખેરાજા તાલુકાના તઢેગાંમ નજીક ડમ્પર પર લોખંડના સળિયા ભરેલા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે ભારે વરસાદના કારણે ડમ્પર રસ્તા પર લપસીને પલટી ગયું હતું.તેના કારણે વાહનમાં બેઠેલા 16 મજૂરો દટાયા હતા. અકસ્માતમાં 8 મજૂરોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે બાકીના 5 મજૂરો હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મૃત્યુ પામ્યા હતા.અને બાકીના ઘાયલોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે

નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *