આસામમાં પૂરમાં મૃત્યુઆંક વધીને 54, 2930 ગામો ડૂબી ગયા..

આસામમાં પૂરમાં મૃત્યુઆંક વધીને 54, 2930 ગામો ડૂબી ગયા..

ગુવાહાટી: આસામમાં તમામ મોટી નદીઓના જળસ્તર ખતરાના નિશાનથી ઉપર વહી જતાં પૂરની સ્થિતિ વણસી ગઈ છે અને મૃત્યુઆંક વધીને 54 થઈ ગયો છે. રાજ્યના ઘણા ભાગોમાં અવિરત વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ પણ નોંધાઈ છે.

આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર, રાજ્યના 28 જિલ્લાના 2930 ગામોમાં 19 લાખ લોકો પ્રભાવિત થયા છે. આ ઉપરાંત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ભૂસ્ખલનની ઘટનાઓના અહેવાલો મળી રહ્યા છે.

છેલ્લા પાંચ દિવસથી રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ગુવાહાટીમાં મુખ્ય રસ્તાઓ પર ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે. પ્રાદેશિક હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, ઓછામાં ઓછા આગામી બે દિવસ સુધી વરસાદ બંધ થવાની કોઈ શક્યતા નથી. આસામ અને મેઘાલય બંને રાજ્યોમાં આજે પણ રેડ એલર્ટ જારી છે.

નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *